આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday 31 October 2014

♥ કેટલીક સુપ્રસિદ્ધ વાવ ♥

(1) રાણકી વાવ - પાટણ
(2) અડાલજની વાવ - અડાલજ, ગાંધીનગર
(3) બોંતેર કોઠાની વાવ - મહેસાણા
(4) દાદા હરિની વાવ - અમદાવાદ
(5) માધા વાવ - વઢવાણ
(6) ઉપરકોટની વાવ - ગિરનાર , જૂનાગઢ
(7) અડી કડીની વાવ - ગિરનાર , જૂનાગઢ
(8) પાંડવ કુંડ વાવ - ભદ્રેૅશ્વર ( કચ્છ )
(9) વડવાળી વાવ - ખંભાત
(10) બ્રહ્મકુંડ વાવ - પ્રભાસ પાટણ
(11) નવલખી વાવ - વડોદરા
(12) કાજી વાવ - હિંમત નગર

Wednesday 29 October 2014

♥ અવકાશમાં અવકાશયાત્રીને ભય ♥

→ અવકાશમાં ભંગારરૂપે ૬,૭૦૦ જેટલી ચીજો વિચરે છે. આ અવકાશ કચરામાં અનેક ભંગાર કે કચરો છે. અવકાશયાનોને આ કચરાનો ખાસ ભય છે.

→ સૌથી મોટો ભય નાની નાની ૩૫ લાખ જેટલી કરચોનો છે. આ બધી સોય જેવડી કરચો કલાકના ૧૭,૦૦૦ માઇલની ઝડપે અવકાશમાં ફરે છે, જો અવકાશયાત્રીને વાગે તો રામ રમી જાય. એક કાંકરી જેવી કરચની અસર ચાર મોટા હાથબોમ્બ જેવી હોય છે.

→ ત્રીજો ભય, અવકાશયાત્રી અવકાશમાં પેશાબ કરે છે, તે પેશાબનાં ટીંપાનો છે. આ પેશાબનાં ટીંપા થીજી જઇને કલાકના ૩૦,૦૦૦ માઇલની ઝડપે વિહરે છે. એક ક્યુબિક સેન્ટીમીટર પેશાબનું ટીંપુ કોઇ બીજા અવકાશયાત્રીને કપાળે ૧૧૦ માઇલની ઝડપે અથડાય.

Tuesday 28 October 2014

♥ तूफान और नाम ♥

♥ जानिये तूफान को नाम केसे दिए जाते हे ? ♥

→ 20 वीं सदी की शुरुआत में आस्ट्रेलिया ने तूफानों के नामकरण की शुरुआत की।

→ लोगों ने अपनी बेवफा पत्नी-प्रेमिका और भ्रष्ट नेताओं के नाम पर भी तूफानों का नाम रखना शुरू किया। अमेरिका में भी महिलाओं के नाम पर
तूफानों का नामकरण होने लगा।

→ बंगाल की खाड़ी में भी इसी की नकल होती थी।

→ हालांकि 1970 के दशक में वर्ल्ड मेट्रोलॉजिकल
ऑर्गेनाइजेशन ने तूफानों के नामकरण और नामों को आरक्षित किए जाने की व्यवस्था शुरू की।

→ तूफानों के नाम महिलाओं पर ही रखे जाने का भी कई संगठनों ने विरोध किया।

→ फिर तय किया गया कि नाम रखने में सामंजस्य
बनाया जाए।

→ पिछले महीनों जिस तूफान ने महाराष्ट्र-गुजरात में दस्तक दी थी है उसका 'फयान' नाम म्यांमार ने आरक्षित कराया था। इसका मतलब है पेड़ों से गिरती हुई चेरी। अगले तूफान का नाम 'वार्ड' ओमान ने आरक्षित कराया हुआ है।

→ इसके बाद पाकिस्तान का नाम 'लैला' उपयोग
में लाए जाना तय हुआ।

→ अगला नाम श्रीलंका का 'बंदू' है। इसके बाद थाईलैंड का नाम 'फेट' उपयोग में लाया जाएगा।

→ फिर बांगलादेश का नाम '' गिरी '' उपयोग में लाया जाएगा। इसके बाद भारत का 'जल' नाम तूफान के लिए उपयोग में लाया जाएगा।

→ भारत ने लहर, मेघ, सागर, वायु नाम भी आरक्षित कराए हुए हैं।

→ पाकिस्तान ने लैला, नीलम, नीलोफर, बर्दाह, तितली, बुलबुल नाम आरक्षित कराए हुए हैं।

Saturday 25 October 2014

♥ ચાર્લ્સ એ. પાર્સન્સ ♥

~~ ★ સ્ટીમ ટર્બાઇનનો શોધક ★ ~~

~~ ★ ચાર્લ્સ એ. પાર્સન્સ ★ ~~

→ ટર્બાઇન એટલે ત્રાંસા વળેલા પાંખિયાવાળો પંખો. કહેવાય સાદો પંખો પરંતુ તે ઘણા કામ કરે.
જરૃરિયાત પ્રમાણે નાના મોટા, ત્રણ- ચાર કે સંખ્યાબંધ પાંખિયા વાળા ટર્બાઇન બને છે.

→ ટર્બાઇનનો મોટો ઉપયોગ વીજળી પેદા કરવા થાય છે. દરેક પ્રકારના વીજમથકમાં ટર્બાઇન તો હોય જ. ટર્બાઇનથી જહાજ પણ પાણીમાં રસ્તો કાપે. ટર્બાઇન ફરે ત્યારે કામ થાય. ટર્બાઇનને હવા, વરાળનું દબાણ કે પાણીના ફોર્સથી ફેરવીને તેની ચક્રાકાર ગતિના અનેક લાભ લઇ શકાય. ત્રાંસા પાંખિયા ઉપર પાણીનો ધોધ પડે તો તે ફરવા લાગે. તેની ધરી સાથે જનરેટર જોડીને વીજળી મેળવી શકાય.

→ વરાળના દબાણથી ટર્બાઇનને ફેરવીને વીજળી પેદા કરવાની શોધ ચાર્લ્સ એલ્જર્નોન પાર્સન્સે કરી હતી. તેણે સ્ટીમ ટર્બાઇન શોધેલું.

→ વરાળના દબાણથી ટર્બાઇન ફેરવીને જહાજ ચલાવવામાં સફળતા મેળવી હતી.

→ ચાર્લ્સ પાર્સન્સનો જન્મ ઇ.સ.૧૮૫૪ના જૂન માસની ૧૩ તારીખે લંડનમાં થયો હતો. તેના પિતા આયર્લેન્ડના વિખ્યાત ખગોળશાસ્ત્રી અને
જ્યોતિષશાસ્ત્રી હતા. તેઓ રાજવી પરિવારના હતા.

→ પાર્સન્સનો પ્રાથમિક અભ્યાસ ઘરે જ ખાનગી શિક્ષકો દ્વારા થયો હતો. વધુ અભ્યાસ માટે તેણે
ડબલીનની ટીનીટી કોલેજ અને ત્યાર બાદ કેમ્બ્રિજની સેન્ટ જ્હોન કોલેજમાં એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે
કલાર્ક ચેપમેન કંપનીમાં એન્જિનિયર તરીકે
જોડાયો. આ કંપની જહાજ બનાવવાનું કામ કરતી હતી. પાર્સન્સે અહી જ ટર્બાઇનની શોધ કરી.

→ ઇ.સ.૧૮૮૯માં તેણે પોતાની ટર્બો જનરેટર
બનાવવાની ફેક્ટરી સ્થાપી. પાર્સન્સના ટર્બાઇન વધુ શક્તિશાળી હતા અને વધુ વીજળી પેદા કરતા.

→ તેણે ટર્બેનિયા નામનું જહાજ બનાવી સૌથી ઝડપી જહાજ બનાવવાનો રેકોર્ડ કર્યો. આ શોધ બદલ તેને બ્રિટનનો સર ઇલકાબ એનાયત થયો.

→ ઇ.સ.૧૯૩૧ના ફેબ્રુઆરીની ૧૧ તારીખે તેનું અવસાન થયું હતું.

Thursday 23 October 2014

♥ ઝિબ્રા ♥

→ શરીર પર એક સરખા સફેદ અને કાળા પટ્ટાની પેટર્ન ધરાવતું ઝિબ્રા જાણીતું પ્રાણી છે. તેના પટ્ટાની પેટર્ન ઉપરથી જ રોડ ક્રોસ કરવા માટેના રસ્તા પર દોરેલા કાળા સફેદ પટ્ટાને પણ ઝિબ્રા ક્રોસ કહે છે. ઝિબ્રાના શરીર પર કાળા શરીર પર સફેદ પટ્ટા છે કે સફેદ શરીર પર કાળા પટ્ટા તે પ્રશ્ન
હજી ઉકલ્યો નથી.

→ આફ્રિકાના ઘાસના મેદાનોમાં ઝિબ્રાના ટોળા દોડતાં હોય તે દ્રશ્ય જોવા જેવું હોય છે. આફ્રિકા ઉપરાંત ઇથોપિયા, સોમાલિયા અને કેન્યામાં ઘાસના મેદાનોમાં જોવા મળતા ઝિબ્રા આકર્ષક અને રસપ્રદ પ્રાણી છે.

→ ખચ્ચર જેવા દેખાતા આ પ્રાણીને શરીર પર કાળા સફેદ પટ્ટાની એવી ભાત છે કે તે દોડતાં હોય ત્યારે ભલભલા શિકારી પ્રાણી ભૂલભૂલામણીમાં પડી જાય. સમૂહમાં ઊભેલા ઝિબ્રા આપણને એક
સરખા જ લાગે ક્યારેક તો ઝિબ્રાના બચ્ચાંને તેની માતા પણ ઓળખી શકતી નથી. ઝિબ્રાનું બચ્ચું જન્મ પછી પાંચ કે દસ મિનિટમાં ઊભું થઈ
ચાલવા લાગે છે અને અર્ધા કલાકમાં તો દોડતું થઈ જાય છે.

→ ઝિબ્રા ઘાસ ખાઈને જીવતું વનસ્પતિ આહારી પ્રાણી છે તે ટોળામાં રહે છે અને ટોળાને પોતાના વિસ્તારની હદ નક્કી કરેલી હોય છે. ઊંટની જેમ ઝિબ્રા પાણી વિના લાંબો સમય ચલાવી શકે છે. રાત્રિના અંધકારમાં ઝિબ્રા નજરે પડતાં નથી. આફ્રિકામાં ઝિબ્રાની વસ્તી ઘટતી જાય છે.

♥ પંડિત રઘુનાથ પાણિગ્રાહી ♥

~ ♦ શાસ્ત્રીય ગીતકાર અને સંગીતકાર - પંડિત રઘુનાથ પાણિગ્રાહી ♦~

→ પંડિત રઘુનાથ પાણિગ્રાહી ભારતીય શાસ્ત્રીય ગીત અને સંગીતકાર હતા. ગીત- સંગીત એ સાધના છે. દરેક વ્યક્તિને ગીત અને સંગીત પ્રિય હોય છે. મોટાભાગના લોકો ગીત ગાતા જ રહે છે, પણ બધાને સંગીતની સાધના ફળતી નથી. દરેક
વ્યક્તિના કંઠે સરસ્વતી દેવી બિરાજતાં નથી. ગીત સહુ ગાઈ શકે છે, પણ સંભાળનારને અનંતમાં લઈ
જવાની દરેકમાં સમર્થતા હોતી નથી.

→ પંડિત રઘુનાથ પાણિગ્રાહીએ સંગીતની દુનિયામાં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. તેમણે મદ્રાસથી સંગીત સાધનાની શરૂઆત કરી હતી.

→ પંડિત રઘુનાથ પાણિગ્રાહીનો જન્મ ૧૦ ઓગસ્ટ, ૧૯૪૩ના દિવસે ઓરિસ્સાના ગુણુપુર ખાતે થયો હતો. તેમનો ઉછેર અને અભ્યાસ પુરી શહેરમાં થયો હતો. પુરી શહેરની સંસ્કૃતિ અને કલાની અસર પંડિત રઘુનાથ પાણિગ્રાહીના જીવન પર પડી હતી.

→ ગાયકીની શરૂઆત તેમણે માત્ર ઓગણીસ
વર્ષની ઉંમરે ઉડિયા ફિલ્મ 'લેવેપુ'થી કરી હતી. તેમના જીવનનું પ્રથમ ગીત તેમણે તે સમયના સુપરસ્ટાર એન.ટી. રામારાવ માટે ગાયું હતું, જે સફળ સાબિત થયું હતું. તેમણે તે ઉપરાંત તમિલ અને કન્નડ સિનેમા માટે પણ ગીતો ગાયાં છે. તે સમયે ઉડિયા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મ્યુઝિક
ડિરેક્ટર બોમ્બેથી સંગીતકારને બોલાવતા હતા, ત્યારે પંડિત રઘુનાથ પાણિગ્રાહીની સંગીત અને ગીત ઉપરની પકડ જોઈને ઉડિયા ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ઘેરબેઠા સંગીતરત્ન મળ્યું હોય તેવી લાગણી હતી.

→ તે સમયે મદ્રાસ સંગીત અકાદમીએ તેમને જયદેવ પર વ્યાખ્યાન આપવા આમંત્રણ આપ્યું હતું. તેમના પિતાએ પંડિત રઘુનાથ પાણિગ્રાહીને તેમના મિત્રના ઘરે રહેવાની વ્યવસ્થા કરી આપેલ હતી. તેમના મદ્રાસના રોકાણ દરમિયાન તેઓ
ભરતનાટયમ્ શીખ્યા હતા.

→ પંડિત રઘુનાથ પાણિગ્રાહીએ પદ્મશ્રી સંજુકતા પાણિગ્રાહી સાથે લગ્ન કર્યાં હતાં.

→ પંડિત રઘુનાથ પાણિગ્રાહી પહેલાં ઉડિયા ગાયક હતા કે જેમને ફ્રેન્ચ સરકાર દ્વારા ગીતા ગોવિંદના કમ્પોઝિશન બદલ સન્માનીત કરાયા હતા.

→ ભારતીય શાસ્ત્રીય ગીત-સંગીતના ક્ષેત્રે
નોંધનીય પ્રદાન હોવા છતાં ભારત સરકારે તેમને છેક ૨૦૧૦માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત
કર્યા હતા.

Monday 20 October 2014

♥ રાજા રામમોહન રાય ♥

→ ભારતમાં રાજા રામમોહન રાયને નવજાગરણના અગ્રદૂત માનવામાં આવે છે. તેમણે પુર્નિવવાહ અને સતીપ્રથાને અટકાવવા માટે લડત શરૂ કરી હતી. તેમણે શરૂ કરેલી લડત સાચી અને મજબૂત હતી. તેમની આ લડતને આધાર બનાવીને ભારતના અનેક મહાપુરુષો સ્ત્રી સમાનતાના હક અને સામાજિક બદીને દૂર કરવા તેમના પગલે આગળ આવ્યા હતા.

→ સતીના નામ ઉપર બંગાળમાં સ્ત્રીઓને જીવતી બાળી નાખવામાં આવતી હતી. તે સમયે ભારતમાં બાળવિવાહનું દૂષણ પણ હતું, તો ક્યાંક ક્યાંક પચાસ વર્ષના વૃદ્ધ સાથે બાર-તેર વર્ષની છોકરીનાં લગ્ન  કરી દેવામાં આવતાં હતાં. આ તમામ
કુરિવાજની સામે રાજા રામમોહન રાયે સ્વજનોની સામે જ બંડ પોકાર્યો હતો. તેમના ઉપર અનેક આરોપનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું, તેમ છતાં તેઓ અડગ રહ્યા હતા.

→ તેમનો જન્મ ૨૨ મે, ૧૭૭૨માં બંગાળમાં આવેલા રાધાનગરના હુગલી ગામમાં થયો હતો. તેમના પિતા એક વૈષ્ણવ બ્રાહ્મણ હતા, જ્યારે તેમનાં માતા તારિણી હતાં.

→ રાજા રામમોહન રાયે માત્ર ૧૫ વર્ષની વયે બંગાળી, સંસ્કૃત, અરબી તથા ફારસી જેવી ભાષાનું
જ્ઞાાન મેળવી લીધું હતું.

→ જ્ઞાન મેળવવાની જિજ્ઞાાસાએ તેમને હિમાલયથી લઈને તિબેટ સુધીની સફર કરાવી હતી. તેમણે વેદ, ઉપનિષદ અને હિન્દુ દર્શનનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને અંતમાં વેદાંતને જીવનનો આધાર બનાવ્યો હતો.

→ રાજા રામમોહન રાયે અનેક હિન્દુ શાસ્ત્રોનો અંગ્રેજી ભાષામાં અનુવાદ પણ કર્યો છે. તેમના આ કાર્ય પાછળ ફક્ત એટલો હેતુ હતો કે ભારતીય સંસ્કૃતિને સમગ્ર વિશ્વના લોકો જાણી શકે અને તેમના જીવનમાં તેનું આચરણ કરે.

→ રાજા રામમોહન રાયે પત્રકારત્વ ક્ષેત્રે પણ અનન્ય યોગદાન આપેલું છે. તેમણે 'બ્રહ્મમૈનિકલ' મેગેઝિન, 'સંવાદ કૌમુદી', 'મિરાત ઉલ અખબાર' અને 'બંગદૂત' જેવાં અખબારોનું સંપાદન કરેલું છે.

→ રાજા એ ખરેખરે પદવી હતી. તેઓ કોઈ ક્ષેત્ર
કે રાજ્યના રાજા ન હતા, તેમને આ માનદ
પદવી તેમનાં કાર્યોને કારણે આપવામાં આવી હતી.

→ સામાજિક અને ધાર્મિક જાગૃતિ માટે તેમણે આત્મીય સમાજ અને બ્રહ્મસમાજની રચના કરી હતી.

→ ૧૮૨૨માં તેમણે કલકત્તામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી હતી અને ત્યારબાદ તેમણે વેદાંત
કોલેજની સ્થાપના કરી હતી.

→ જાતિપ્રથા, દહેજપ્રથા, બાળવિવાહનો વિરોધ, મહિલાઓને શિક્ષણ અને અંગ્રેજી ભાષાના શિક્ષણની જરૂરિયાત સમજીને તેના ઉપર વધારે ધ્યાન આપ્યું હતું.

→ ૧૮૩૦માં રાજા રામમોહન રાય ઇંગ્લેન્ડ ગયા હતા. ભારતના શિક્ષિત લોકોમાંથી તેઓ પહેલા ભારતીય હતા કે જે ભારતીય સંસ્કૃતિની ઓળખ લઈને ઇંગ્લેન્ડ ગયા હોય.

→ ૧૮૩૩માં ઇંગ્લેન્ડના બ્રિસ્ટલ શહેરમાં રાજા રામમોહન રાયે છેલ્લા શ્વાસ લીધા હતા. ત્યાં જ
તેમની સમાધિ પણ આવેલી છે અને ત્યાં જ
કોલેજ ગ્રીનમાં તેમની ભવ્ય પ્રતિમા રાખવામાં આવી છે.

→ રાજનીતિ, લોકજાગૃતિ, શિક્ષણ, સામાજિક સુધારણા અને ધાર્મિક જાગૃતિ માટે તેઓ જીવનભર લડતા રહ્યા.

Sunday 19 October 2014

♥ BUDGET - બજેટ ♥

★ બજેટ શબ્દ ક્યાંથી આવ્યો? ★

→  અંગ્રેજી શબ્દ  BUDGET મૂળ ફ્રે BOUGETTE / બુજેત શબ્દથી બન્યો છે. (બુજેત- થેલી કે નાની બેગ).

→  1947થી ભારતના જે તે સમયના નાણાપ્રધાનો પાર્લામેન્ટ સમક્ષ બજેટ રજુ કરતાં આવ્યાં છે.ગુલામ ભારતનું સર્વપ્રથમ બજેટ જેમ્સ વિલ્સને ઘડ્યું હતું અને ફેબ્રુઆરી 18,1860 ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું.એ પછી તરતના વર્ષનું બજેટ એપ્રિલ 27,1861 ના દિવસે જાહેર કરાયું હતું.

Saturday 18 October 2014

♥ રોબર્ટ વોટ્સન વોટ ♥

♥ રડારનો શોધક - રોબર્ટ વોટ્સન વોટ ♥

→ રડાર એ એરપોર્ટ પર વિમાનના ટ્રાફિકનું સંચાલન કરવા માટે મહત્ત્વનું સાધન છે. રડાર આકાશમાં ઊડતાં વિમાનો, દરિયાના પેટાળમાં રહેલી સબમરિનો અને જહાજોની માહિતી દૂરથી મેળવી આપે છે.

→ રડારનું પૂરું નામ 'રેડિયો ડિટેકશન એન્ડ રેન્જિંગ' છે.

→ રડારમાંથી પ્રસારિત થયેલા રેડિયો તરંગો દૂર સુધી ફેલાય છે અને તે કોઈ ચીજ સાથે અથડાય તો પાછા ફરીને રડારમાં જ આવે છે એટલે આકાશમાં દૂરથી આવી રહેલા વિમાનની આગોતરી જાણકારી મળી જાય છે.

→ ૧૯મી સદીમાં હેન્ટિક હર્ટઝ નામના વિજ્ઞાાનીએ ધાતુઓ રેડિયો વેવનું પરાવર્તન કરે છે તેવી થિયરી શોધેલી. તેના આધારે ક્રિશ્ચિયન હુસ્મેયર
નામના વિજ્ઞાાનીએ પ્રાયોગિક ધોરણે જહાજને દૂરથી ઓળખી આપતું સાધન બનાવેલું. આ પ્રાથમિક શોધો પછી રોબર્ટ વોટસન વોટ નામના વિજ્ઞાાનીએ ઘણા ક્ષેત્રોમાં ઉપયોગી થાય તેવું
સાધન વિકાસવી તેને 'રડાર' નામ આપ્યું. બીજા વિશ્વયુદ્ધમાં તેનો પ્રથમવાર બ્રિટનમાં ઉપયોગ થયો. ત્યાર બાદ અનેક ક્ષેત્રે તેનો આશીર્વાદરૃપ ઉપયોગ થાય છે.

→ રોબર્ટ વોટ્સન વોટનો જન્મ સ્કોટલેન્ડના બ્રેચીન શહેરમાં ઈ.સ. ૧૮૯૨ના એપ્રિલની ૧૩ તારીખે થયો હતો.

→ સ્થાનિક શાળામાં પ્રાથમિક અભ્યાસ કર્યા પછી તે ડુન્ડી ખાતે યુનિવર્સિટી કોલેજમાં દાખલ થયેલો.
ભણવામાં તેજસ્વી હોવાથી તેને કેમિસ્ટ્રીમાં કાર્નેલી પ્રાઇઝ એનાયત થયું હતું. ૧૯૧૨માં એન્જિનિયરીંગ ક્ષેત્રે બીએસસીની ડિગ્રી લઇ કોલેજના એન્જિનિયરીંગ વિભાગમાં મદદનીશ તરીકે જોડાયો હતો. આ દરમિયાન તેણે રેડિયો વેવ્ઝ અંગે સંશોધનો કરી ૨૫૦૦ કિલોમીટર દૂર રહેલાં વાહનો કે વિમાનોની જાણકારી મેળવી શકે તેવું
રડાર વિકસાવ્યું. આ સફળતાથી તેને હેમ્પશાયરમાં વાયરલેસ સ્ટેશનમાં નિમણૂંક મળી. જ્યાં તેણે રડારનો સફળ ઉપયોગ કર્યો અને રેડિયો રિસર્ચ
સેન્ટરમાં ડાયરેક્ટર બન્યો.

→ ઈ.સ. ૧૯૩૫માં વોટસનને રેડિયો તરંગો પર કામ કરતાં રડારની પેટન્ટ મળી. તેણે બ્રિટનમાં વિવિધ સ્થળોએ રડાર સ્ટેશનો સ્થાપ્યાં. રડારની શોધ બદલ તેને ઘણા સન્માનો એનાયત થયા.

→ ઇ.સ. ૧૯૭૩ના ડિસેમ્બરની પાંચ તારીખે તેનું
અવસાન થયું હતું.

♥ ગ્રહણ વિશે અવનવું ♥

~~♦ ગ્રહણોની તારીખ અને ચોક્કસ સમય અગાઉથી જ કેવી રીતે જાણવા મળે છે ? ♦~~

→ સૂર્ય અને ચંદ્રના ગ્રહણો વિશે તમે જાણો છો. સૂર્યગ્રહણ થવાનું હોય તેનો ચોક્કસ સમય પણ બધા જાણતા હોય છે અને તે જોવાની તૈયારી પણ કરતા હોય છે. સૂર્ય કે ચંદ્ર ગ્રહણ કઇ તારીખે અને
કયા સમયે થશે તેની ચોક્કસ માહિતી અગાઉથી જ કેવી રીતે જાણવા મળતી હશે ? પંચાંગમાં તો વર્ષ
દરમિયાન થનારા તમામ ગ્રહણોના તારીખ અને સમય ઉપરાંત તે કયા કયા દેશમાંથી દેખાશે
તેની આગોતરી માહિતી હોય છે. આ માહિતી કેવી રીતે મળે તે જાણો છો ?

→ પ્રાચીન કાળના બેબીલોનના ખગોળશાસ્ત્રીઓએ સૂર્ય તેમજ ચંદ્ર ગ્રહણો ચોક્કસ સમયગાળામાં થતાં હોય છે તે શોધી કાઢેલું. બે ગ્રહણ વચ્ચેનો ગાળો ૧૮ વર્ષ ૧૧ દિવસ અને ૮ કલાકનો હોય છે. આજે ભારતમાંથી સૂર્યગ્રહણ દેખાતું હોય તો તેટલા જ સમયગાળાનું તેવું જ સૂર્ય ગ્રહણ ભારતમાં ૧૮ વર્ષ ૧૧ દિવસ અને ૮ કલાક પછી જોવા મળે. એટલે દરેક ગ્રહણોની તારીખો અને સમય ૧૮ વર્ષ અગાઉ જ નક્કી થઇ જાય છે. પંચાંગમાં આ રીતે ગણતરી કરીને ગ્રહણો લખેલા હોય છે. આ સમયગાળાને ''સેરોસ સાયકલ'' કહે છે.

→ પ્રાચીન કાળમાં ગ્રહણોનું ધાર્મિક મહત્વ હતું એટલે ખગોળશાસ્ત્રીઓએ ગ્રહણોનો ઊંડો અભ્યાસ કરેલો. ગ્રહણો સૂર્યની આસપાસ ફરતી પૃથ્વી અને પૃથ્વીની આસપાસ ફરતા ચંદ્ર ચોક્કસ સ્થિતિમાં આવે ત્યારે થતા હોય છે. ખગોળશાસ્ત્રીઓ એક
ચાંદ્રખાસને ૨૯.૫૩ દિવસનો ગણે છે.

→ પૃથ્વી સૂર્યની આસપાસ ૩૬૫ દિવસમાં એક
પ્રદક્ષિણા કરે છે પરંતુ ચંદ્ર પણ પ્રદક્ષિણા કરતો હોવાથી ચંદ્રની ઉત્તરેથી શરૃ કરી સૂર્યનો પથ પૂરો થવામાં ૩૪૬.૫૫ દિવસ લાગે છે. આ ગાળાને ''ડ્રેકોનિક યર'' કહે છે.

→ ચંદ્રનો ખરેખર પ્રદક્ષિણા પથ ૨૭.૫૫ દિવસનો છે એટલે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની આજે જે સ્થિતિ છે તે જ સ્થિતિ ફરી વાર ૧૮ વર્ષ ૧૧ દિવસ ૮ કલાક પછી જોવા મળે છે. એટલે જ ગ્રહણ પણ આ સમયગાળામાં ફરીવાર થાય છે. જોકે દર ત્રણ સેરોસ સાયકલ પછી આ સમયગાળામાં થોડો ઘણો ફેરફાર થાય છે.

♥ ઇલેકટ્રોનિક વજનકાંટા ♥

★ ઇલેકટ્રોનિક વજનકાંટા કેવી રીતે કામ કરે છે ? ★

→ ચીજવસ્તુઓના વજન અને માપ આપણા માટે રોજીંદી અને અનિવાર્ય જરૂરિયાત છે. વેપાર માટે ચીજવસ્તુઓમાં વજન અને માપ વિના ચાલે નહીં. તમને જાણીને નવાઇ લાગશે પરંતુ ચીજ વસ્તુઓ જોખવા માટેના ત્રાજવાની શોધ ઇ.સ.પૂર્વે ૨૦૦૦ પહેલા સિંધુ સંસ્કૃતિમાં થઇ હતી. તે જમાનામાં શરૂ થયેલા બે પલ્લાંવાળા ત્રાજવાનો ઉપયોગ થતો.

→ ઇ.સ.૧૭૭૦માં રીચાર્ડ સોલ્ટર નામના અંગ્રેજ વિજ્ઞાાનીએ સ્પ્રિંગ કાંટો શોધ્યો હતો. આજે આપણે આધુનિક ઇલેક્ટ્રોનિક કાંટો ઉપયોગમાં લઇએ છીએ. દુકાનો અને મોલમાં તમે વસ્તુઓ
જોખવા માટેનો ઇલેક્ટ્રોનિક કાંટો જોયો હશે. નાનકડા પ્લેટફોર્મ પર ચીજ મૂકો એટલે સ્ક્રીન ઉપર તેના વજનનો આંકડો દેખાય.

→ ઇલેક્ટ્રોનિક કાંટાની કાર્યપદ્ધતિ બે ભાગમાં વહેંચાયેલી છે.

→ પહેલો તબક્કો વસ્તુના વજનનું માપ લે છે. બીજો તબક્કો તેનું પ્રોસેસિંગ કરે છે. ચીજ જ્યારે પ્લેટ ઉપર મૂકાય ત્યારે પ્લેટ ઉપર દબાણ સર્જાય છે. આ પ્લેટની નીચે સેન્સર હોય છે. આ સેન્સર દબાણને ઇલેક્ટ્રીક સિગ્નલમાં ફેરવે છે. પ્લેટ ઉપર આવતું દબાણ વીજપ્રવાહમાં વધઘટ કરે છે.
વોલ્ટેજની વધઘટ ખૂબ જ સૂક્ષ્મ હોય છે એટલે તે માઇક્રોપ્રોસેસર દ્વારા ડીજીટલ સ્વરૂપમાં ફેરવાય છે. આ ડીજીટલ આંકડા સ્ક્રીન ઉપર દેખાય છે. ઇલેક્ટ્રોનિક કાંટા એક ગ્રામના દસમાં ભાગ જેટલું
સચોટ વજન બતાવે છે. વિવિધ ચીજવસ્તુઓ જોખવા વિવિધ ડિઝાઇનના કાંટા બને છે.

♥ મનીપ્લાન્ટ ♥

::: ★  મનીપ્લાન્ટ માત્ર પાણીમાં જ કેવી રીતે જીવે છે ? ★ :::

→ ઘરમાં પાણીની બોટલમાં વિકાસ પામતો મની પ્લાન્ટ તમે જોયો હશે. સૂર્યપ્રકાશ અને જમીનના ખાતર વિના જ તે ઘણો બધો વિકાસ કરે છે. આ
છોડમાં એવું શું છે કે માત્ર પાણીમાંથી ખોરાક બનાવી વધી શકે ?

→ પૃથ્વી પરની દરેક વનસ્પતિ તેની આસપાસના વાતાવરણ, સાથે તાલમેલ સાધીને વિકાસ કરે છે.
રણપ્રદેશમાં પાણી ઓછું મળે તો પાણી વિના જ ચલાવી લેતી અને જરૂરી પાણીનો સંગ્રહ કરી શકે
તેવી વનસ્પતિ થાય. બધા જ સંજોગોમાં જીવીત રહેવું તે સજીવ સૃષ્ટિનો નિયમ છે. ખૂબ જ પાણી હોય અને સૂર્યપ્રકાશ પણ ઓછો મળે તેવા સંજોગોમાં સોલોમન ટાપુ પર ગાંઢ જંગલોમાં મનીપ્લાન્ટ માત્ર પાણીમાંથી ખોરાક મેળવવાનું
શીખી ગયો.

→ ગાઢ જંગલોમાં અન્ય ઝાડની છાયામાં થતા મનીપ્લાન્ટના પાન થોડા જાડા હોય છે અને ઓછા સૂર્યપ્રકાશમાંય ખોરાક બનાવી શકે છે. સૂર્યપ્રકાશને બદલે સામાન્ય અજવાળામાં પણ તે ફોટોસિન્થેસિસ કરી શકે છે. મનીપ્લાન્ટના મૂળ
પાણીમાં કોહવાતાં નથી પણ પાણીમાંથી કુદરતી ખનીજો અને ક્ષારો શોષીને પોતાની જરૂરિયાત
મુજબનો ખોરાક મેળવી લે છે. તે મર્યાદિત પોષણ મેળવે છે એટલે તેને ફૂલ કે ફળ થતાં નથી પણ તેનો એક ટૂકડો પાણીમાં મૂકો તો ય તે વિકાસ
પામવા લાગે છે. આવી અદભુત કરામત ઘણી વનસ્પતિમાં છે. મનીપ્લાન્ટ ઘરની શોભા બની ગયો છે.

♥ વેમ્પાયર બેટ ♥

~♦ માત્ર બીજા પ્રાણીના લોહી ઉપર જીવતાં - વેમ્પાયર બેટ ♦~

→ બેટ એટલે કે ચામાચિડિયા ભૂતિયા અને બિહામણાં પ્રાણી છે. સસ્તન પ્રાણી હોવા છતાંય તે એક જ પ્રાણી એવું છે કે ઊડી શકે. ચામાચિડિયા ઘણી જાતના જોવા મળે છે. તમામ ચામાચિડિયા હવામાં ઊડતા જીવડાનો શિકાર કરે છે. પરંતુ મેક્સિકો અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા વેમ્પાયર બેટ તો માત્ર બીજા પ્રાણીનું લોહી પીને જ જીવે છે. કશું જ ખાવાનું નહીં !

→ વેમ્પાયર બેટ નાનકડા ચામાચિડિયા છે. આપણા અંગુઠા જેવડા વેમ્પાયર બેટને ૮ ઇંચ લાંબી પાંખો હોય છે. વેમ્પાયર બેટ બહુ ઊંચાઇએ ઊંડી શકતા નથી. પરંતુ ઝડપથી ઊડી શકે છે.

→ રાત્રીના અંધકારમાં જ તે શિકાર કરવા નીકળે છે. લાંબુ નાક, મોટી ગોળાકાર આંખો અને તીક્ષ્ણ
દાંતવાળા વેમ્પાયર બેટ ઘણા બિહામણા હોય છે. રાક્ષસ જેવા ચહેરા વાળા આ ચામાચિડિયા માણસ ઉપર હુમલો કરતાં નથી પરંતુ ગાય, ભૈંસ, ઘોડા કે
ડુક્કર જેવા મોટા પ્રાણીઓના શરીર પર બેસીને તેનું લોહી ચૂસે છે.

→ વેમ્પાયર બેટને કાતર જેવા માત્ર બે જ દાંત હોય છે. પ્રાણીના શરીર પર કાપો મૂકીને હળવે હળવે લોહી ચાટીને પેટ ભરે છે.

→ વેમ્પાયર બેટની આંખો શક્તિશાળી હોય છે. ચારસો ફૂટ દૂર અંધારામાં બેઠેલા પ્રાણીને પણ તે જોઇ શકે છે. ઘૂવડ વેમ્પાયર બેટના દુશ્મન છે. ઘુવડ વેમ્પાયર બેટનો શિકાર કરે છે. ભારતમાં વેમ્પાયર બેટ જોવા મળતા નથી.

♥ નેનો ટેકનોલોજી ♥

→ આપણી સુવિધા માટે વિજ્ઞાાનજગતે ઘણાં બધાં સાધનો અને યંત્રો વિકસાવ્યા છે. ગંજાવર કદના ઊંટડાથી માંડીને સ્ટેપ્લર કે નેઈલકટર જેવાં સાધનો વિજ્ઞાાનના જુદા જુદા સિધ્ધાંતો પર
કામ કરે છે. ડોક્ટરો સર્જરી વખતે નાના કદના વિવિધ પ્રકારના ચપ્પુ, કાતર, ચિપિયા વગેરેનો ઉપયોગ કરે છે. જેમ ઝીણું કામ કરવું હોય તેમ ઝીણું સાધન જોઈએ પરંતુ માઈક્રોસ્કોપથી જ જોઈ
શકાય એવી સૂક્ષ્મ વસ્તુને કાપવી હોય તો કેવડી છરી જોઈએ? કલ્પના કરી જુઓ.

→ નેનો ટેકનોલોજી એટલે આવાં સૂક્ષ્મ સાધનો બનાવવાની ટેકનોલોજી.

→ નેનો એટલે નાનું. પણ કેટલું નાનું ખબર છે?
એક મીટરનો એક અબજમો ભાગ. આપણા વાળ કરતાંય હજારમા ભાગનું કદ.

→ આવા સૂક્ષ્મ પદાર્થમાંથી નેનો ટેકનોલોજી વડે મોટર, ચપ્પુ, કાતર, પંખો વગેરે બને. આપણને દેખાય નહીં પણ ઉપયોગી થાય. તમને એમ થાય કે આપણને દેખાય નહીં એવા સાધનનો ઉપયોગ શું? પણ આ સાધનો આપણા સામાન્ય ઉપયોગ માટે નથી. પરંતુ તમે જાણો છો કે કોઈ
રોગની સારવાર માટે શરીરના સુક્ષ્મ કદના કોશોને કાપવા પડે.વિજ્ઞાાનીઓ નેનો કદની કાતર શરીરમાં દાખલ કરીને ઓપરેશન પણ કરી શકે.

→ નેનો ટેકનોલોજીની શોધ ઈ.સ. ૧૯૮૬માં થઈ હતી. આ ટેકનોલોજી મોટેભાગે કાર્બનના અણુઓને
એકબીજા સાથે જોડીને સૂક્ષ્મ કદનાં સાધનો બનાવાય છે. નેનો ટયુબ ઘણી ઉપયોગી થાય છે.

→ અમેરિકાના વિજ્ઞાનીઓએ લગભગ ૧૩૦૦૦ જેટલા વિવિધ પ્રકારના નેનો મશીન બનાવ્યા છે. નેનો કદનાં સાધનો બનાવવા માટે અણુની અંદરનો ભાગ પણ જોઈ શકાય તેવા એટમિક ફોર્સ માઈક્રોસ્કોપ વપરાય છે. વાળના હજારમા ભાગ
જેટલો પાતળો વાયર કમ્પ્યુટરની ચિપ બનાવવામાં ઉપયોગી થઈ શકે છે. કાર્બનની પોલી નેનો ટયુબ જોડીને 'સુપર સ્ટ્રોંગ' પદાર્થ પણ બની શકે છ