આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday 20 October 2014

♥ રાજા રામમોહન રાય ♥

→ ભારતમાં રાજા રામમોહન રાયને નવજાગરણના અગ્રદૂત માનવામાં આવે છે. તેમણે પુર્નિવવાહ અને સતીપ્રથાને અટકાવવા માટે લડત શરૂ કરી હતી. તેમણે શરૂ કરેલી લડત સાચી અને મજબૂત હતી. તેમની આ લડતને આધાર બનાવીને ભારતના અનેક મહાપુરુષો સ્ત્રી સમાનતાના હક અને સામાજિક બદીને દૂર કરવા તેમના પગલે આગળ આવ્યા હતા.

→ સતીના નામ ઉપર બંગાળમાં સ્ત્રીઓને જીવતી બાળી નાખવામાં આવતી હતી. તે સમયે ભારતમાં બાળવિવાહનું દૂષણ પણ હતું, તો ક્યાંક ક્યાંક પચાસ વર્ષના વૃદ્ધ સાથે બાર-તેર વર્ષની છોકરીનાં લગ્ન  કરી દેવામાં આવતાં હતાં. આ તમામ
કુરિવાજની સામે રાજા રામમોહન રાયે સ્વજનોની સામે જ બંડ પોકાર્યો હતો. તેમના ઉપર અનેક આરોપનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું, તેમ છતાં તેઓ અડગ રહ્યા હતા.

→ તેમનો જન્મ ૨૨ મે, ૧૭૭૨માં બંગાળમાં આવેલા રાધાનગરના હુગલી ગામમાં થયો હતો. તેમના પિતા એક વૈષ્ણવ બ્રાહ્મણ હતા, જ્યારે તેમનાં માતા તારિણી હતાં.

→ રાજા રામમોહન રાયે માત્ર ૧૫ વર્ષની વયે બંગાળી, સંસ્કૃત, અરબી તથા ફારસી જેવી ભાષાનું
જ્ઞાાન મેળવી લીધું હતું.

→ જ્ઞાન મેળવવાની જિજ્ઞાાસાએ તેમને હિમાલયથી લઈને તિબેટ સુધીની સફર કરાવી હતી. તેમણે વેદ, ઉપનિષદ અને હિન્દુ દર્શનનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને અંતમાં વેદાંતને જીવનનો આધાર બનાવ્યો હતો.

→ રાજા રામમોહન રાયે અનેક હિન્દુ શાસ્ત્રોનો અંગ્રેજી ભાષામાં અનુવાદ પણ કર્યો છે. તેમના આ કાર્ય પાછળ ફક્ત એટલો હેતુ હતો કે ભારતીય સંસ્કૃતિને સમગ્ર વિશ્વના લોકો જાણી શકે અને તેમના જીવનમાં તેનું આચરણ કરે.

→ રાજા રામમોહન રાયે પત્રકારત્વ ક્ષેત્રે પણ અનન્ય યોગદાન આપેલું છે. તેમણે 'બ્રહ્મમૈનિકલ' મેગેઝિન, 'સંવાદ કૌમુદી', 'મિરાત ઉલ અખબાર' અને 'બંગદૂત' જેવાં અખબારોનું સંપાદન કરેલું છે.

→ રાજા એ ખરેખરે પદવી હતી. તેઓ કોઈ ક્ષેત્ર
કે રાજ્યના રાજા ન હતા, તેમને આ માનદ
પદવી તેમનાં કાર્યોને કારણે આપવામાં આવી હતી.

→ સામાજિક અને ધાર્મિક જાગૃતિ માટે તેમણે આત્મીય સમાજ અને બ્રહ્મસમાજની રચના કરી હતી.

→ ૧૮૨૨માં તેમણે કલકત્તામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી હતી અને ત્યારબાદ તેમણે વેદાંત
કોલેજની સ્થાપના કરી હતી.

→ જાતિપ્રથા, દહેજપ્રથા, બાળવિવાહનો વિરોધ, મહિલાઓને શિક્ષણ અને અંગ્રેજી ભાષાના શિક્ષણની જરૂરિયાત સમજીને તેના ઉપર વધારે ધ્યાન આપ્યું હતું.

→ ૧૮૩૦માં રાજા રામમોહન રાય ઇંગ્લેન્ડ ગયા હતા. ભારતના શિક્ષિત લોકોમાંથી તેઓ પહેલા ભારતીય હતા કે જે ભારતીય સંસ્કૃતિની ઓળખ લઈને ઇંગ્લેન્ડ ગયા હોય.

→ ૧૮૩૩માં ઇંગ્લેન્ડના બ્રિસ્ટલ શહેરમાં રાજા રામમોહન રાયે છેલ્લા શ્વાસ લીધા હતા. ત્યાં જ
તેમની સમાધિ પણ આવેલી છે અને ત્યાં જ
કોલેજ ગ્રીનમાં તેમની ભવ્ય પ્રતિમા રાખવામાં આવી છે.

→ રાજનીતિ, લોકજાગૃતિ, શિક્ષણ, સામાજિક સુધારણા અને ધાર્મિક જાગૃતિ માટે તેઓ જીવનભર લડતા રહ્યા.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.