આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday 2 October 2015

♥ મોહનદાસ કરમચંદ ગાંધી : સુવર્ણ અવસરો ♥


સંવત ૧૯૨૫ ભાદરવા વદ ૧૨, ૨ ઓકટોબર .૧૮૬૯ના પોરબંદરમાં જન્‍મ.


      ૧૮૬૯-૭૫ :    પોરબંદરમાં બાળપણ વિતાવ્‍યું
      ૧૮૭૬     :    પિતાજી સાથે શિક્ષણ માટે રાજકોટ ગયા.
      ૧૮૮૨     :    પોરબંદરમાં કસ્‍તુરબા સાથે લગ્ન.
      ૧૮૮૫     :    પિતાજીનો દેહાંત, રાજકોટમાં અભ્‍યાસ ચાલુ
      ૧૮૮૭     :    મેટ્રીક પરીક્ષા પાસ, શામળદાસ કોલેજ ભાવનગરમાં દાખલ થયા
      ૧૮૮૮     :    બેરીસ્‍ટર થવા વિલાયત ગયા
      ૧૮૮૯     :    લંડનમાં અભ્‍યાસ ચાલુ
      ૧૮૯૦     :    લંડનમાં મેટ્રીક પરીક્ષા પાસ કરી.
      ૧૮૯૧     :    બેરીસ્‍ટર બની સ્‍વદેશ પરત.
      ૧૮૯૨     :    રાજકોટ તથા મુંબઈમાં વકીલાત.
      ૧૮૯૩     :    દક્ષિણ આફ્રિકામાં વકીલાત માટે ગયા.
      ૧૮૯૪     :    નાતાલ હિન્‍દી મહાસભાની સ્‍થાપના
      ૧૮૯૫     :    નાતાલ સુપ્રિમ કોર્ટના એડવોકેટ બન્‍યા.
      ૧૮૯૬     :    ભારત પરત આવ્‍યા. ગોખલેજી - તિલકની મુલાકાત
      ૧૮૯૭     :    ડરબનમાં ગોરાઓના હુમલામાંથી પાર ઉતર્યા.
      ૧૮૯૯     :    બોઅર યુદ્ધમાં અંગ્રેજોને મદદ કરી. બ્રિટિશ સરકારે ચંદ્રક પ્રદાન કર્યુ.
      ૧૯૦૧     :    ભારત પરત આવ્‍યા સેવાકાર્યમાં જોડાયા. રાજકોટમાં પ્‍લેગ નિવારણ સમિતિ બનાવી. કલકત્તામાં મહાસભામાં         સ્‍વયંસેવક, કારકૂન - પટ્ટાવાળાના કાર્યો કર્યા.
      ૧૯૦૨     :    બર્માયાત્રા - મુંબઈમાં ઓફીસ ખોલી. ટ્રેઈનમાં ત્રીજા વર્ગમાં ભ્રમણ કર્યુ. દક્ષિણ આફ્રિકા ગયા.
      ૧૯૦૩     :    ટ્રાન્‍સવાલ બ્રિટીશ ઈન્‍ડિયા એસોસીએશનની સ્‍થાપના.
      ૧૯૦૪     :    ફિનિકસ આશ્રમની સ્‍થાપના - ગીતાનું અધ્‍યયન. રસ્‍કિનનું ‘અન ટુ ધીમ લાસ્‍ટ' પુસ્‍તક વાંચી જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન.
      ૧૯૦૫     :    ‘‘ઈન્‍ડિયન ઓપિનિયન'' સામયિક પ્રકાશનનો પ્રારંભ
      ૧૯૦૬     :    ઝુલુ વિપ્‍લવ ઘાયલોની સેવા. બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા - સત્‍યાગ્રહ શબ્‍દનો ઉપયોગ. સત્‍યાગ્રહનો      જન્‍મ ટ્રાન્‍સવાલ આફ્રિકામાં.
      ૧૯૦૭     :    ખુની કાયદા સામે સત્‍યાગ્રહ. વરસની લાખેકની કમાણી છોડી. બચેલી રકમ દાનમાં આપી. આશ્રમી જીવન સ્‍વીકાર્યુ.
      ૧૯૦૮     :    પઠાણોએ હુમલો કર્યો. કોંગ્રેસમાં જોડાયા. કાયદા ભંગ માટે પ્રથમવાર સજા.
      ૧૯૦૯     :    લિયો ટોલ્‍સ્‍ટોયને પ્રથમ પત્ર. ઈંગ્‍લેન્‍ડથી પરત ફરતા જહાજમાં ‘હિન્‍દ સ્‍વરાજ' પુસ્‍તક લખ્‍યું.
      ૧૯૧૦     :    જોહનિસબર્ગમાં ટોલ્‍સટોય ફોર્મની સ્‍થાપના.
      ૧૯૧૧     :    વકીલાત છોડી.
      ૧૯૧૨     :    નીતિધર્મ અને આરોગ્‍ય વિષયક પુસ્‍તકો પ્રકાશિત કર્યા.
      ૧૯૧૩     :    સત્‍યાગ્રહનો આરંભ, પકડાયા, છોડયા, ૭ દિવસના ઉપવાસ.
      ૧૯૧૪     :    ૧૪ દિવસના ઉપવાસ - સત્‍યાગ્રહ સફળ, ઈંગ્‍લેન્‍ડ ગયા. ૪ ઓગષ્‍ટ પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત, યુદ્ધમાં સેવાકાર્ય. સરોજીની નાયડુ સાથે         પરિચય.
      ૧૯૧૫     :    સ્‍વદેશગમન કેસરે હિન્‍દનો ઈલ્‍કાબ મળ્‍યો. કોચરબ આશ્રમની સ્‍થાપના. જેતપુર ગોંડલમાં ‘મહાત્‍મા' નું બિરૂદ, માનપત્ર મળ્‍યુ. ભારત ભ્રમણ, કાકા કાલેલકર, આચાર્ય કૃપલાની, મહાદેવભાઈ દેસાઈ સાથે પ્રથમ પરિચય ગોખલેજીનું અવસાન. ભારે દુઃખ.
      ૧૯૧૬     :    લખનૌ કોંગ્રેસમાં જવાહરલાલજીનો પરિચય. કાશી વિશ્વ વિદ્યાલયની સ્‍થાપના એ સમયનું સુપ્રસિદ્ધ વ્‍યાખ્‍યાન આપ્‍યું. સભામાં ખળભળાટ  સભાના પ્રમુખ ગર્વનર જનરલ હતા. એનીબેસન્‍ટ બીજા અનેક નેતાઅ વચ્‍ચેથી સભા છોડી ચાલ્‍યા ગયા.
      ૧૯૧૭     :    રાજેન્‍દ્રપ્રસાદનું પ્રથમ મિલન, ૧૯ એપ્રિલ ચંપારણ સત્‍યાગ્રહ. ૩૧ મે ગીરમીટીયા કાનુન રદ. ૩૦ જૂન દાદાસાહેબ નવરોજીનું દેહાવસાનમહાદેવભાઈ દેસાઈનું ગાંધીજીને જીવન સમર્પણ. ૩ નવેમ્‍બર ગોધરામાં  પહેલી ગુજરાતી રાજકીય પરિષદ. માતૃભાષા દ્વારા શિક્ષણ ઉપર ભાર.
      ૧૯૧૮     :    અમદાવાદમાં મિલ મજૂર હડતાલ-૩ દિવસનાં ઉપવાસ. રેંટીયાનો પુનરૂદ્ધાર. પ્રથમ પંકિતના નેતાઓમાં સ્‍થાન.
      ૧૯૧૯     :    રોલેટ એકટ કાનુન, ૬ એપ્રિલ કાળા કાયદા સામે ઉપવાસ. ‘યંગ ઈન્‍ડિયા', ‘નવજીવન' ના સંપાદનનો પ્રારંભ. મહાદેવ દેસાઈને પોતાના ‘વારસ' કહ્યા, અમૃતસરમાં કોંગ્રેસ ભરાઈ. ૧૩ એપ્રિલે જલીયાવાલા બાગ કાંડ આ બાગમાંથી ૧૦ થી ૨૦ હજાર માણસો ભેગા થયા. બાગમાંથી નીકળવાના બે જ માર્ગ હતા. ટોળાને વિખેરાઈ જવાની કશી ચેતવણી આપ્‍યા વિના બ્રિગેડીયર જનરલ ડાયરે હુકમ કર્યો. ૯૦ સૈનિકોએ બહાર નીકળવાના રસ્‍તા બંધ કરી દીધા. આ હત્‍યાકાંડમાં ૧૬૫ ગોળીબાર થયા, ૩૭૯ મર્યા, ૧૧૩૭ ઘાયલ થયા, ગાંધીજીને આઘાત લાગ્‍યો.
      ૧૯૨૦     :    ૧ ઓગષ્‍ટ તિલક મહારાજનું અવસાન. ગાંધીજીએ તૈયાર કરેલ કોંગ્રેસનું બંધારણ માન્‍ય. અસહકારના આંદોલનની શરૂઆત. ગુજરાત વિદ્યાપીઠની સ્‍થાપના. ગાંધીજીને પોતાની આત્‍મકથા ‘સત્‍યના પ્રયોગો' લખી.
      ૧૯૨૧     :    રાષ્‍ટ્રીય વિદ્યાપીઠોની સ્‍થાપના. ‘પ્રિન્‍સ ઓફ વેલ્‍સ' ના આગમનના બહિષ્‍કાર પર તોફાનો થતા અશાંત - પાંચ દિવસના ઉપવાસ. અમદાવાદમાં કોંગ્રેસ.
      ૧૯૨૨     :    ૫ ફેબ્રુઆરી ચૌરાચોરી કાંડ થયો. સત્‍યાગ્રહ આંદોલન સ્‍થગિત પાંચ દિવસના ઉપવાસ. ૧૦ માર્ચે ધરપકઙ
      ૧૯૨૩     :    રોમારોલા દ્વારા મીરાબેન (મિસ સ્‍લેડ) નો પરિચય.
      ૧૯૨૪     :    ૨૪ સપ્‍ટેમ્‍બરથી હિન્‍દુ - મુસ્‍લિમ એકતા માટે ૨૧ દિવસના ઉપવાસ. બેલગાંવ કોંગ્રેસના અધ્‍યક્ષ.
      ૧૯૨૫     :    ચરખા સંઘની સ્‍થાપના. ૬ જુન દેશબંધુદાસનું અવસાન, ૭ દિવસના ઉપવાસ.
      ૧૯૨૬     :    સ્‍વામી શ્રદ્ધાનંદજીનું બલિદાન, તિલક સ્‍વરાજ ફંડ માટે એક કરોડ રૂપિયા એકઠા કરવાનો સફળ પ્રયોગ.
      ૧૯૨૭     :    ખાદી પ્રચાર પ્રવાસ - કાંતવુ એ અધ્‍યાત્‍મિક તાલીમ છે, ખાદી વિના આપણે હિન્‍દુનું અર્થતંત્ર પાછુ સજીવન કરી શકીશુ નહિં.
      ૧૯૨૮     :    સાયમન કમિશન - બારડોલી સત્‍યાગ્રહ - સાયમન પાછા જાઓ. ૨૨ એપ્રિલ મગનભાઈ ગાંધીનું અવસાન. ૨૭ નવેમ્‍બર લાલા લજપતરાયનું અવસાન.
      ૧૯૨૯     :    લાહોર કોંગ્રેસમાં પૂર્ણ સ્‍વાધિનતાનો પ્રસ્‍તાવ.
      ૧૯૩૦     :    ૨૬ જાન્‍યુઆરીએ સંપૂર્ણ સ્‍વાધિનતાની પ્રતિજ્ઞા. ૧૨ માર્ચ મીઠાનો કાયદો તોડવા માટે દાંડીકૂચ પ્રારંભ. ૫ એપ્રિલ દાંડીકૂચનો પ્રારંભ. ૬ એપ્રિલ મીઠાનો કાયદો ભંગ અને ધરપકઙ
      ૧૯૩૧     :    ૨૫ જાન્‍યુઆરી જેલ મુકિત. ૭ ફેબ્રુઆરી મોતીલાલ નહેરૂનું અવસાન. ૪ માર્ચ ગાંધી - ઈરવીન કરાર. ૨૪ માર્ચ વીર ભગતસિંહને ફાંસી. ૨૫ માર્ચ બીજી ગોળમેજી પરિષદમાં એક જ પ્રતિનિધિરૂપે સામેલ. ૨૫ ડિસેમ્‍બરમાં ગોળમેજી પરિષદમાંથી ખાલી હાથે પરત.
      ૧૯૩૨     :    કોંગ્રેસને ગેરકાનુની ઘોષિત - સત્‍યાગ્રહનો આરંભ. નવજીવન ‘યંગ ઈન્‍ડિયા' બંધ. ૨૦ સપ્‍ટેમ્‍બર સાંપ્રદાયિક નિર્ણયના વિરોધમાં આમરણાંત ઉપવાસ. ૨૫ સપ્‍ટેમ્‍બર સાંપ્રદાયિક નિર્ણયના વિરોધમાં આમરણાંત ઉપવાસ. ૨૪ સપ્‍ટેમ્‍બર યરવડા કરાર. ૨૬ સપ્‍ટેમ્‍બર ઉપવાસ સમાપ્‍ત.
      ૧૯૩૩     :    ૮/૫ થી ૨૧/૫ ઉપવાસ - હરીજન (અંગ્રેજી) હરીજન બંધુ (ગુજરાતી), હરીજન સેવક (હિન્‍દી) સાપ્‍તાહિકો શરૂ કર્યા.           ધરપકડ મુકિત ફરી ધરપકડ - એક વરસની સજા. ૧૬ ઓગષ્‍ટ  આમરણાંત ઉપવાસ - ૨૩ ઓગષ્‍ટ મુકિત. ૨૦ સપ્‍ટેમ્‍બર એની     બેસન્‍ટનું અવસાન. ૨૨ સપ્‍ટેમ્‍બર વિઠ્ઠલભાઈ પટેલનું અવસાન. ૧ ઓગષ્‍ટ સાયમન કમિશનનું વિસર્જન - વર્ધામાં રહેવાનો નિર્ણય.
      ૧૯૩૪     :    બિહાર ભૂકંપ - ૭ મે સત્‍યાગ્રહ સ્‍થગિત - ૭ દિવસના ઉપવાસ.
      ૧૯૩૫     :    કોંગ્રેસની સુવર્ણ જયંતિ.
      ૧૯૩૬     :    સેવાગ્રામ આશ્રમની સ્‍થાપના. ૧૦ મે ડો. અન્‍સારીનો દેહાંત.
      ૧૯૩૭     :    નઈ તાલીમનો પ્રારંભ - જુલાઈમાં કોંગ્રેસ શાસન સંભાળ્‍યું.
      ૧૯૩૮     :    પેશાવર યાત્રા
      ૧૯૩૯     :    રાજકોટમાં આમરણાંત ઉપવાસ - વાઈસરોયનો હસ્‍તક્ષેપ. ૪ દિવસ બાદ સમાપ્‍ત. સુભાષબાબુનું કોંગ્રેસનાં અધ્‍યક્ષપદેથી રાજીનામુ. મૌલાના શૌકતઅલીનું અવસાન. ૩ સપ્‍ટેમ્‍બર વિશ્વયુદ્ધનો પ્રારંભ.
      ૧૯૪૦     :    વ્‍યકિતગત સત્‍યાગ્રહ. પ્રથમ સત્‍યાગ્રહી વિનોબા ભાવે. ‘હરિજન' પત્ર ઉપર પ્રતિબંધ.
      ૧૯૪૧     :    ૭ ઓગષ્‍ટ રવિન્‍દ્રનાથ ટાગોરનું અવસાન. કોંગ્રેસ નેતાગીરીની    મુકિત. ૩૦ સપ્‍ટેમ્‍બર ગૌસેવા સંઘની સ્‍થાપના.
      ૧૯૪૨     :    ગાંધીજીએ ફરી કોંગ્રેસની નેતાગીરી સંભાળી. ક્રિપ્‍સ મિશન. ૧૧ ફેબ્રુઆરી જમનાલાલ બજાજનું અવસાન. ૮ ઓગષ્‍ટ ‘ભારત છોડો' પ્રસ્‍તાવ. ૯ ઓગષ્‍ટ તમામ નેતાઓની ધરપકઙ ૧૫ ઓગષ્‍ટ મહાદેવભાઈ દેસાઈનું આગાખાન મહેલમાં અવસાન.
      ૧૯૪૩     :    આગાખાન મહેલમાં ૨૧ ઉપવાસ.
      ૧૯૪૪     :    ૨૨ ફેબ્રુઆરી આગાખાન મહેલમાં કસ્‍તુરબાનું અવસાન. ૬ મે જેલમુકિત, ગાંધી-જીન્‍હા મિલન.
      ૧૯૪૫     :    નેતાઓની મુકિત - સિમલા કરાર.
      ૧૯૪૬     :    કેબીનેટ મિશન - સાંપ્રદાયિક તોફાનો - નોઆખલી યાત્રાનો પ્રારંભ. કોમી એકતા માટે બિહાર યાત્રા.
      ૧૯૪૭     :    ૧૫ ઓગષ્‍ટ દેશ આઝાદ - કલકત્તામાં ૭૩ કલાકના ઉપવાસ.

      ૧૯૪૮ :       દિલ્‍હીમાં શાંતિ. આમરણાંત ઉપવાસ - પાંચ દિવસ ચાલ્‍યા. ૩૦ જાન્‍યુઆરી શુક્રવાર સાંજના પાંચ કલાકે પ્રાર્થનાસભામાં (બિરલાભવન) જતાં વચ્‍ચે ગોડસેએ પગે લાગી બાપુ ઉપર ત્રણ ગોળી છોડી હત્‍યા કરી. ‘હે રામ' કહી કાયમી વિદાય લીધી. દેશ અને દુનિયામાં સોપો પડી ગયો. દિલ્‍હી રાજઘાટ ઉપર સમાધિ.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.