આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday 23 May 2014

♥ સૂર્ય પર ડાઘ કેમ? ♥


સૂર્ય તેજસ્વી ગોળો છે. આપણે સૂર્ય તરફ
સીધી નજર નાખી જોઇ શકતાં નથી. પરંતુ
ખગોળશાસ્ત્રીઓએ સૂર્યની સપાટીનું
અવલોકન કરીને શોધી કાઢયું છે કે
સૂર્યની સપાટી પર કાળા ધાબાં પણ
દેખાય છે. ઇ.સ.૧૬૧૦માં ગેલિલિયોએ પ્રથમ
વાર સૂર્યના ગોળા ઉપર ડાઘ હોવાનું
જાહેર કરેલું. તેને સૂર્યકલંક પણ કહે છે.
ઇ.સ.૧૯૪૩માં હેનરિક
નામના ખગોળશાસ્ત્રીએ
સૂર્યકલંકનો અભ્યાસ કર્યો હતો. સૂર્ય
પૃથ્વીની જેમ પોતાની ધરી પર ફરે છે અને
તેના કેન્દ્રમાંથી સતત ઉર્જા પેદા થઇ
સપાટી પર આવે છે. જેને કારણે
તેની સપાટી તેજસ્વી અને ગરમ રહે છે.
કેન્દ્રમાંથી પેદા થતી ઉર્જા અને
વિકિરણો એકસરખા જ સપાટી પર
આવતા નથી. તેમાં વધઘટ થાય છે. એટલે જે
ભાગમાં ગરમી ઓછી મળે તે
ભાગની તેજસ્વીતા ઓછી હોય છે.
એટલો ભાગ
બાકીની સપાટી કરતા ઝાંખો હોય છે.
આપણને તે કાળો દેખાય છે. જાણીને નવાઇ
લાગશે પણ સૂર્યકલંકો નિયમિત પેદા થાય
છે અને ઢંકાઇ જાય છે. દર ૧૧ વર્ષે તેનું ચક્ર
બદલાય છે.
સૂર્યકલંકો પૃથ્વીના વાતાવરણને પણ અસર
કરે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.