આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday 28 April 2014

♥ અજમેર ♥

♠ સુફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનું
અજમેર

* અજમેર રાજસ્થાનના મધ્યમાં આવેલું
શહેર છે.

* તેની આસપાસ અરવલ્લીની પર્વતમાળા
આવેલી છે.

* અજમેરનું સૌથીમોટું આકર્ષણ ત્યાં આવેલી ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની મજાર
(કબર) શરીફ છે. દર વર્ષે લાખો લોકો તેની મુલાકાત લે છે.

* દેશના ખૂણેખૂણેથી લોકો માનતા માનવા ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર આવે છે.

* અજમેરની સ્થાપના સાતમી સદીમાં રાજા દુષ્યંત
ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી.

* ૧૧૯૩માં અજમેરને મોહમ્મદ ઘોરીએ
જીતી લીધું.

* અજમેરનું વાતાવરણ મહદંશે બારે
માસ ગરમીવાળું રહે છે.

* અજમેરે શરીફમાં આવેલી ખ્વાજા ગરીબ
નવાઝની દરગાહ ખ્વાજા મોઇનુદ્દીન
ચિશ્તી નામના સૂફી સંતની મજાર છે.

* ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીએ તેમનું આખું
જીવન ગરીબ અને દલીતોની સેવા પાછળ
સર્મિપત કરી દીધું હતું.

* અજમેર શરીફની મુલાકાત દરેક
ધર્મના લોકો લે છે. આ દરગાહના
દરવાજા ચાંદીના છે અને ખ્વાજા
મોઇનુદ્દીન ચિશ્તીની કબર
સંગેમરમરની બનેલી છે.

* મહાન સૂફી ખ્વાજા મોઇનુદ્દીન
ચિશ્તીની યાદમાં દર વર્ષે ઉર્સ
રાખવામાં આવે છે, જે છ દિવસ સુધી ચાલે
છે.

* અજમેરમાં કોટન અને વૂલન
ટેક્સટાઇલની ઇન્ડસ્ટ્રી છે તથા લેધર,
હોઝિયરી, સાબુ અને દવાઓનું
સારા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે
છે.

* અજમેર પાસે
આવેલા કિશનગઢમાં સૌથી વધુ માર્બલનું
ઉત્પાદન કરવામાં આવે છે.

* ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ
ખ્વાજા ગરીબ નવાઝના નામે પણ
ઓળખાય છે.

* અહીં આવતા પ્રવાસીઓ માટે અનાસાગર
તળાવ, તારાગઢનો કિલ્લો, ફોય
સાગરનો સનસેટ પોઇન્ટ, સોફિયા કોલેજ
અને માયો કોલેજ આકર્ષણનું કેન્દ્ર છે.

* અહીં આવેલી માયો કોલેજ
ભારતના વાઇસરોય લોર્ડ
માયો દ્વારા ૧૮૫૭માં બાંધવામાં આવી હતી.

* અહીં આવેલું અનાસાગર તળાવ કૃત્રિમ અને
ઐતિહાસિક તળાવ છે. આ તળાવ
માણસો દ્વારા બાંધવામાં આવ્યું હતું.

* અજમેરમાં આવેલા સીટી મ્યુઝિયમમાં મુઘલ
રાજાઓના વખતની વસ્તુઓ સાચવીને
રાખવામા આવી હતી.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.