આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday 19 August 2016

♥ પ્રચલિત આદ્યાત્મિક શબ્દોની સરળ વ્યાખ્યા ♥

૧. અનુષ્ઠાન : એટલે કોઈ પણ મંત્રના કરેલા સવા લાખ જપ. ( વિધિમુજ્બ)

૨. સંસ્કૃતિ : એટલે પેઢીઓના ભેગા થયેલા સારા સંસ્કારોની પ્રવૃત્તિ.

૩. ધ્યાન : એટલે તમે ધ્યાન ધરો છો તેનું પણ ધ્યાન ન રહે તે ધ્યાન.

૪. યોગ : એટલે ખુદની ખુદા સાથે મુલાકાત.

૫. પ્રાર્થના : એટલે ભક્તની ભગવાન સાથે સીધી વાતચીત.

૬. અધ્યાત્મ : એટલે અંતિમ સત્યની ખોજ. પરમાત્મા તરફ આત્માની ગતિ.

૭. દયા : એટલે બીજાના દુ:ખને પોતાનું માની દૂર કરવાની ચેષ્ટા.

૮. મૃત્યુ : એટલે ચૈતન્યની ગેરહાજરી-સૃષ્ટિનું હોવું અને આપણું ન હોવું.

૯. અસ્મિતા : એટલે આગવી ઓળખ. દા.ત. ગુજરાતની અસ્મિતા :ગરબા :

૧૦. ઇર્ષ્યા : એટલે બીજા કોઈ પણ પાસે તમારા કરતાં કશુંક વધારે છે તે.

૧૧. ભય : એટલે નિશ્ચિતતામાંથી અચાનક અનિશ્ચિતતામાં જવું.

૧૨. શ્રદ્ધા : એટલે સત્ + ઘા = સત્યને ધારણ કરવું. આસ્થા - વિશ્વાસ.

૧૩. ધર્મ : એટલે આત્મભાન સાથેનું ઇશ્વર વિશેનું આત્મજ્ઞાાન.

૧૪. ભજ્ન :  એટલે ભક્તએ ભગવાન માટે ગાયેલું ભકિતનું ગીત.

૧૫.ગીતા : એટલે આચરણનું વ્યાકરણ. માનવજીવનનું વિજ્ઞાાન.

૧૬.લક્ષ્મી : એટલે સૌ કોઈના લક્ષનું અમી.

૧૭. પ્રેમ : એટલે એકબીજાથી એકબીજાને વધારે સુખ આપવાની હરિફાઈ.

૧૮. રાધા : એટલે પ્રેમની અવિરત ધારા.

૧૯. સ્મિત : એટલે ઇશ્વરની ભલામણ ચિઠ્ઠી.

૨૦. શુકન : એટલે ઉલ્લાસમય મન.

૨૧. અપશુકન : એટલે ખિન્ન મન.

૨૨. આળસ : એટલે કોઈપણ ઉદ્યમ વગરની નિરાંત.

૨૩.એકાંત : એટલે હું મારી સાથે છું જ્યાં પરમાત્માની હાજરી છે.

૨૪. ચિંતા : એટલે ઉછીની નહિ લીધેલી મૂડી ઉપરનું વ્યાજ.

૨૫. શાંતિ : સમગ્ર બ્રહ્માંડની મહામૂલી મિલકત એટલે શાંતિ.

૨૬. નિવૃત્તિ : એટલે વૃત્તિઓમાંથી નીકળી જવું પણ પ્રવૃત્તિમાંથી નહિ.

૨૭. પાપ. મન- વચન-કર્મ-થી કોઈપણ જીવને પહોંચાડેલું દુ:ખ.

૨૮.પુણ્ય : મન-વચન-કર્મ-થી કોઈપણ જીવને આપેલું સુખ.

૨૯. દાન : યોગ્ય વ્યકિતને, યોગ્ય સમયે, અપેક્ષા વિના આપેલ યોગ્ય વસ્તુ.

૩૦.ઇશ્વર : એટલે ઇશ=સત્તા વર=શ્રેષ્ઠ= જગતની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સત્તા.

૩૧. મંદિર : એવું સ્થળ જ્યાં મનમાં માત્ર પવિત્ર વિચારો જ આવે છે.

૩૨. જ્ઞાન : જીવમાત્ર માટે જીવતરની સાચી સમજણ અને ઉપયોગ.

૩૩. નિયતિ- આયોજ્નપૂર્વક બધા માટે પહેલેથી જ નક્કી થઈ ગયેલું.

૩૪. ભક્તિ : ઇશ્વર-ભગવાનને સમજીને પામવાની ઉત્કટ લગની.

૩૫. મોક્ષ : એટલે એક પણ ઇચ્છા ન હોવી તે.

- પી.એમ.પરમાર
 

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.