આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday 5 May 2016

♥ ફળો ગોળાકાર કે લંબગોળ આકારનાં જ કેમ ? ♥


પૃથ્વી પર સજીવ સૃષ્ટિનો વિકાસ આસપાસના વાતાવરણને અનુકૂળ થાય અને વધુમાં વધુ રક્ષણ, પોષણ અને વંશવેલો વધારવાની સુવિધા મળે તે રીતે થયો છે. દરેક સજીવ ચોક્કસ આકારમાં જ વિકસ્યા છે. વનસ્પતિ સજીવ છે પરંતુ હાલીચાલી શકતી નથી. એક જ જગ્યાએ વિકાસની સાથે તે રક્ષણ અને પોષણ મેળવે છે. વનસ્પતિના વંશવેલાની વૃદ્ધિ માટે તેના બીજ દૂર દૂર સુધી પહોંચે તે જરૃરી છે.

પ્રાણીપક્ષીઓ અને જંતુઓ તેમાં ઉપયોગી થાય છે. પાન વધુમાં વધુ સૂર્યપ્રકાશ મેળવી શકે તે રીતે બન્યા છે. ફૂલો વધુ ને વધુ જંતુઓને આકર્ષી શકે તેવા રંગીન બન્યા છે. તો ફળો સ્વાદિષ્ટ અને દેખાવમાં આકર્ષક બન્યા છે. દરેક ફળ ગોળાકાર હોય છે. ફૂલમાં રહેલા ગોળાકાર ટપકા જેવા બીજાશયમાં ગોળાકાર ફળ બને છે. કેળા અપવાદ છે. તેમાં બીજ હોતા નથી. કેળાને વનસ્પતિશાસ્ત્રીઓ ફળ ગણતા નથી.

મોટાભાગના ફળોમાં સંખ્યાબંધ બીજ હોય છે. ફળ તૂટે ત્યારે તેના બીજ વધુ ને વધુ અંતરે ફેલાય તે જરૃરી છે. ભૌમિતિક દૃષ્ટિએ ઓછી જગ્યામાં વધુ દળ અને બીજ ગોળાકારમાં જ સમાય તેવી ગણતરી પણ ખરી. ઝાડ ઉપર લટકતા ગોળાકાર ફળનું ગુરૃત્વ મધ્યબિંદુ વચ્ચે રહેવાથી તે ટકી રહે છે ચોરસ કે અનિયમિત આકારના ફળ હોય તો તૂટી પડે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.