આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday 20 September 2015

♥ ધાર્મિક પ્રશ્નોતરી - શ્રી ગણેશ ♥


(૧) ''અષ્ટવિનાયક'' યાત્રાનાં સ્થળો (ગામ)ના નામ આપો.

→ (૧) મોરગાંવ (૨) થેઉર (૩) લેણ્માડી (૪) ઓઝર (૫) રાંજણગાંવ (૬) પાલી (૭) મહાડ અને (૮) સિદ્ધટેક

(૨) ''અષ્ટવિનાયક'' યાત્રામાં પ્રત્યેક સ્થળના ગણપતિ જુદાં જુદાં નામે ઓળખાય છે, તેના નામ આપો.

→ (૧) મયુરેશ્વર (૨) ચિંતામણી (૩) ગિરીજાત્યજ (૪) વિઘ્નેશ્વર (૫) મહાગણપતિ (૬) બલ્લામેશ્વર (૭) વરદવિનાયક અને (૮) સિદ્ધવિનાયક.

(૩) ગણેશ અને કાર્તિકેયને પૃથ્વી પ્રદક્ષિણા કરવાનું કહેવાતા ગણેશે શું કર્યું ?
→ ગણેશે માતા-પિતા શિવ તથા પાર્વતીને એક સાથે બેસવાનું કહી તેમની પ્રદક્ષિણા કરી અને કહ્યું કે માતા-પિતાની પ્રદક્ષિણા એ પૃથ્વીની પ્રદક્ષિણા બરાબર છે.

(૪) ''મહાભારત'' ગ્રંથના સર્જક તથા લહિયા કોણ હતા ? તેમનાં નામ આપો ?
→ 'મહાભારત' ગ્રંથના સર્જક મહર્ષિ વેદ વ્યાસ તથા લહિયા શ્રી ગણેશ.

(૫) વેપારીઓ ચોપડાપૂજન વખતે ચોપડાના મથાળે ''શ્રી ૧।'' લખે છે, કેમ ?
→ લક્ષ્મીનો અક્ષર 'શ્રી' છે અને ગણપતિનો અક્ષર '૧।' છે - બન્ને પૂજન માટે 'શ્રી ૧।' લખાય છે.

(૬) પ્રજાપતિની બે કન્યા કઈ ? તેમનાં લગ્ન કોની સાથે થયા હતાં ?
→ પ્રજાપતિની કન્યા-રિદ્ધિ તથા સિદ્ધિ ! તેમના લગ્ન ગણેશ સાથે થયા.

(૭) ગણેશના બે પુત્રોનાં નામ આપો ?
→ ગણેશના બે પુત્રો, લાભ અને શુભ.

(૮) સાર્વજનિક ગણેશોત્સવની પ્રથા કોણે શરૃ કરી હતી ?
→ બાળગંગાધર ટિળકે સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત કરાવી હતી.

(૯) દક્ષિણ મહારાષ્ટ્રમાં સમુદ્ર કિનારે આવેલા પ્રસિધ્ધ ગણપતિનું મંદિરનું નામ શું ?
→  ''ગણપતિ પુલે''

★ સૌજન્ય - ગુજરાત સમાચાર ★

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.